Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મુલ્‍કી સેવા પંચના સચિવડી. આર. પટેલનો જન્‍મદિન

નીતિન પટેલના એક સમયના અધિક અંગત સચિવ

રાજકોટ : નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા શ્રી ડી. આર. પટેલનો જન્‍મ તા. ર૭ સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી તરીકે કાર્યરત હતાં. એમ. એ. ની પદવી ધરાવે છે. અગાઉ ગૃહ સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. તેઓ નિવૃત થયા પછી સરકારે તેમને મુલ્‍કી સેવા ટ્રીબ્‍યુનલના સચિવ તરીકે નિમણુંક આપતા હાલ તે સ્‍થાને ફરજ પર છે. મો. ૯રર૮ર ૭૭૭૮૦ ગાંધીનગર

(11:32 am IST)