Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કોળી સમાજના જેશીંગભાઈ રાઠોડનો જન્‍મદિવસઃ ૫૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જય વેલનાથ સમુહલગ્ન સમિતિના ઉપપ્રમુખ અને ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ રાજકોટ શહેરના પ્રવકતા જેશીંગભાઈ રણછોડભાઈ રાઠોડનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧માં વર્ષે પ્રવેશ કરી રહ્યા છે. તેઓ યુવા મોરચો બક્ષીપંચ મોરચો, વોર્ડ પ્રમુખ તરીકે તેમજ શહેર કારોબારી સભ્‍ય તરીકે કામગીરી કરેલ છે. કોળી સમાજની સંસ્‍થાઓ વેલનાથ જયંતિ સમુહલગ્ન, વિદ્યાર્થી સન્‍માન સમારંભ, રકતદાન કેમ્‍પ, ડાંડીયા રાસ સહિતના કાર્યક્રમોમાં તેમનું યોગદાન છે. (મો.૯૮૭૯૯ ૬૪૪૭૯)

 

(12:09 pm IST)