Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજકોટ, સુરત, અમદાવાદના પૂર્વ કલેકટર વી. એસ. ગઢવીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતમાં રાજય માહિતી કમિશ્નર (આરટીઆઇ) તરીકે ફરજ બજાવતા શ્રી વસંતભાઈ એસ.ગઢવીનો જન્મ ૨૦ જાન્યુઆરી ૧૯૫૩ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

શ્રી વી.એસ.ગઢવી અગાઉ કચ્છમા જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ, સુરત અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, રાજ્યમાં માહિતી નિયામક,, મનોરંજન કર કમિશ્નર, સહકાર સચિવ, ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં અધિક મુખ્ય કારોબારી અધિકારી, નાણા નિગમ અને ખનિજ વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, જળસંપતિ વિભાગમાં સચિવ, પાણી પુરવઠા બોર્ડમાં ચેરમેન, મહેસુલ વિભાગમાં અગ્રસચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકેલા આઇ.એ.એસ.કેડરના નિવૃત અધિકારી છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૨૭૦૨, મો.૯૯૭૮૪ ૦૬૧૩૦ -ગાંધીનગર

(2:12 pm IST)