Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

યશવંત જનાણીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં પાયાના કાર્યકર્તા, અનેકવિધ પ્રવૃતિઓના પ્રણેતા, વિવિધ સંસ્થાના થાપક આયોજક અને માર્ગદર્શન તરીકે વર્ષોથી કાર્યરત સેવા સમાજ સેવા સંગઠન યશવંત જનાણીનો આવતીકાલે ૨૧મીના  રવિવારે જન્મદિવસ છે, તેઓ જીવનના ૭૩ વર્ષમાં પ્રવેશ કરે છે. આજના દિવસે પણ સદાબહાર યુવા નેતા તરીકે જાણીતા યશવંત જનાણી મોબાઇલ કે વાહન રાખતા નથી. બે ત્રણ વર્ષ પહેલા રોજનું તેઓ ૨૦-૨૫ કિ.મી. ચાલીને કામ કરતા હતા. આજે તેઓ ઓછામાં ઓછું દસ કિ.મી. તો ચાલે જ છે. તેમના દાવા પ્રમાણે તેઓએ સમગ્ર જીવનભર સાડા ત્રણ લાખ કિ.મી. ચાલેલ છે. તેઓ વિદ્યાર્થીઓની માર્ગદર્શન સંસ્થા સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી અને ચેરમેન છે. રાજકીય જ્ઞાનનું આદાન પ્રદાન કરતી સંસ્થા ઇન્સ્ટીટયુટ ઓફ પોલીટીકલ સાયન્સનાં મેનેઝીંગ ડાયરેકટર, ડેમોક્રેટીવ એકશન ગૃપના ચેરમેન, ગાહકોની જાગૃતિ માણે કામ કરતી સંસ્થા રાજકોટ જીલ્લા ગ્રાહક સુરષા મંડળના પ્રમુખ વિશ્વભાષા અને સાહિત્ય ભવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી તેમજ ‘‘ છાત્ર શકિત’’ સાાહિકનાં તંત્રી અને ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝ પેપર એડીટર કાઉન્સીલનાં ચેરમેન છે યશવંત જનાણીનો જન્મ તા.૨૧/૧/૧૯૪૪નાં રોજ  અમરેલી જીલ્લાનાં ઉટવડ મુકામે થયેલ તેઓના જન્મદિને મિત્રો વર્તુળો તરફથી આગલી સંધ્યાએ જ શુભેચ્છાઓ વરસી રહી છે. (ફોન નં.૦૨૮૧ ૨૫૬૩૫૨૭)

(2:11 pm IST)