Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ક્રિએટ ઈન્‍ડિયા એડવર્ટાઈઝીંગના ચમનલાલ જોષીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ક્રિએટ ઈન્‍ડિયા એડવર્ટાઈઝિંગના મોભી અને અગણિત ક્ષેત્રોમાં પ્રમાણિકતા થકી પોતાની અલગ ઓળખ બનાવનાર ચમનલાલ ડી.જોષીનો આજે જન્‍મ દિવસ છે. કોરોના જેવી ભયાનક પરિસ્‍થિતિમાં જયારે લોકો માનસિક રીતે પડી ભાંગતા હોય છે, ત્‍યારે ચમનલાલે પોતાને માનસિક રીતે મજબૂત કર્યા કે છેલ્લા ૨૦ વર્ષમાં દવાખાનાનું પગથિયું નથી ચડયા. યુવાનોને શરમાવે એવી સ્‍ફૂર્તિ ધરાવતા ચમનલાલના જન્‍મદિવસે શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

 

(11:09 am IST)