Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રૂડાના પૂર્વ સલાહકાર અને અર્બન પ્‍લાનર કે.બી. પાનખાનીઆનો ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેરી વિકાસ વિભાગના અર્બન પ્‍લાનર નિવૃત અધિકારી કે.બી.પાનખાનીઆ ૭૨ વર્ષ પુર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૪૧ વર્ષથી વધુ સમય ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્‍ટ ડીપાર્ટમેન્‍ટ હેઠળ વિવિધ જગ્‍યાઓ અને શહેરોમાં મહત્‍વની ફરજો બજાવી, જેમાં ગીફટ સીટી, ધોલેરા ઓથોરીટી ઉપરાંત કચ્‍છના ભુકંપ ગ્રસ્‍ત વિસ્‍તારોમાં સફળતા પૂર્વકની કામગીરીનો સમાવેશ થાય છે. હાલ પ્રજાપતિ સમાજની અમૃત કન્‍યા છાત્રાલયમાં સતત ૩૧ વર્ષથી  પ્રમુખ તરીકે તેમજ ઉપેન્‍દ્રભાઇ માંડુભાઇ ગોહિલ ચેરિટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે ૨૩ વર્ષથી અને પાણખાણીયા પરિવાર ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ૨૧ વર્ષથી સેવા આપી રહ્યા છે

(4:20 pm IST)