Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ખંભાળીયાઃ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્‍દ્રભાઇ આચાર્યનો જન્‍મદિન

ખંભાળીયા : બ્રહ્મસમાજ અગ્રણી તથા પત્રકાર અને આચાર્ય સંઘ દેવભૂમિ દ્વારકાના પ્રમુખ હિતેન્‍દ્રભાઇ આચાર્યનો આજે જન્‍મદિન છે.

૧૬-પ-૬૪ માં જન્‍મેલા હીતેન્‍દ્રભાઇએ હાલ વિજય ચેરીટેબલ હાઇસ્‍કુલમાં ૩પ વર્ષથી આચાર્ય તરીકે એટલા સમયથી જામનગરમાં દૈનિક નોબતના પ્રતિનિધી તરીકે તથા દ્વારા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે, રાજય આચાર્ય સંઘના રાજય મીડીયા સેલ કન્‍વીનર, રામનાથ ગૌશાળાના પ્રમુખ, ખંભાળીયા તાલુકા સંયોજક, અગાઉ  બે વખત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે અને હાલ દ્વારકા જિલ્લા મીડીયા સેલના કન્‍વીનર તથા પત્રકાર મંડળ, રેલ્‍વે પદોની એસો. બ્‍લાઇડન્‍ એસો., ખામનાથ મંદિર, પ્રજાબંધુ લાયબ્રેી સહિતની અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે.

તેઓ પાંચ-પાંચ ટર્મ જામનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી રહી ચુકેલા અને સેવા, માનવતાવાદી પ્રવૃતિ શિક્ષણ ક્ષેત્ર પર્યાવરણ ક્ષેત્રે અનેક કાર્યો કરનાર તથા લકોના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્‍નશીલ એવા હિતેશભાઇ આચાર્યને આજે જન્‍મદિને શુભેચ્‍છાઓ તેમના મો. ૯૮ર૪ર ૩પ૮પ૯ ઉપર થઇ રહી છે.

(1:41 pm IST)