Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમદાવાદના અધિક કલેકટર પરિમલ પંડયાનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદના નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડયાનો જન્‍મ તા. ૧૦ મે ૧૯૬૯ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનનો ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી પી.બી. પંડયા ભૂતકાળમાં વીરમગામ (અમદાવાદ) અને ભાવનગરમાં પ્રાંત અધિકારી અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, પાટણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, ગિર સોમનાથ જિલ્લામાં નિવાસી અધિક કલેકટર, રૂડામાં મુખ્‍ય કારોબારી અધિકારી રાજકોટમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર રહી ચૂક્‍યા છે.શ્રી પંડયા આઇ.એ.એસ. કેડરમાં આવ્‍યા પછી તેમનો પ્રથમ જન્‍મદિને આવ્‍યો હતો. (૨૨.૧૮)

ફોન નં. ૦૭૯-૨૭૫૫૧૬૮૧

મો. ૯૯૭૮૪ ૦૫૧૭૩ અમદાવાદ 

(1:00 pm IST)