Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઉમિયાધામ સિદસરના એમ. ડી. અધિક કલેકટર જે. કે. પટેલનો જન્મદિન

રાજકોટ : શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસરના મેનેજીંગ ડીરેકટર અને રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી જયેશ કે. પટેલનો જન્મ તા. ૧પ ઓકટોબર, ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ હાલ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

શ્રી જે. કે. પટેલ મુળ જામનગરના વતની છે, ભુતકાળમાં ચોટીલા અને રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં અધિક નિવાસી નાયબ કલેકટર, તત્કાલીન કૃષિ પ્રધાન ચીમનભાઇ સાપરિયાના અંગત સચિવ, ભાવનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. મો. ૯૪ર૬૪ ૩ર૦પ૧ -રાજકોટ

(11:22 am IST)