Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

એડવોકેટ મોહીત ઠાકરનો જન્મદિન

રાજકોટઃ યુવા એડવોકેટ મોહીત વિરેન્દ્રકુમાર ઠાકરનો ગઇકાલે તા.૬ના જન્મદિવસ હતો. તેઓએ બી.એ.  તેમજ એલ.એલ.બી. તેમજ એલ.એલ.એમ જેવી શૈક્ષણિક ડિગ્રી હાંસલ કરેલ છે. તેઓ નવેમ્બર ૨૦૧૨થી રાજકોટના ખ્યાતનામ ધારા શાસ્ત્રી તથા રાજકોટ બાર એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખશ્રી પીયુષ એમ.શાહ, પૂર્વ એ.જી.પી. શ્રી અશ્વિનભાઇ ગોસાઇ સાથે ક્રિમીનલ (સેશન્સ કોર્ટમાં) પ્રેકટીસ કરી રહયા છે. અને વકીલાતના ક્ષેત્રમાં સારો એવો અનુભવ ધરાવે છે. રાજકોટના યુવા લોયર્સ એસોસીએશનના સભ્ય, નીલકમલ પાર્ક કો.ઓ.હા.સો.લી. સાધુવાસવાણી રોડ રાજકોટના પ્રમુખ, વોર્ડ નં.૯ના પૂર્વ ઉપપ્રમુખ તરીકે તેમજ હાલમાં વોર્ડનં.૯ માં ભાજપના કાર્યકર તરીકે તેમજ વંદેમાતરમ ગ્રુપ (સાધુવાસવાણી રોડ) ના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. મો.નં.૯૯૦૪૯ ૫૮૩૪૮

(12:39 pm IST)