Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અમરેલીના આગેવાન પી.પી.સોજીત્રાનો જન્‍મદિન

અમરેલી,તા. ૨૯ : શહેરના યુનિક આગેવાન ગણાતા અને શહેરને આગવી ઓળખ આપવામાં સિંહ ફાળો આપનાર તથા કોરોના હોય કે કોઇ પણ કપરા સંજોગો હોય સમાજના તમામ વર્ગની પાસે મદદગાર બની ઉભા રહેનારા અમરેલીના મેનેજમેન્‍ટ ગુરૂશ્રી પી.પી.સોજીત્રાનો આજે જન્‍મદિવસ છે.

જે હોય તે બેધડક કહેનાર પારસમણી જેવા જેમના સ્‍પર્શથી સંસ્‍થાઓ પગભર થઇ જાય છે અને અમરેલીના વિકાસ માટે રાજકીય તથા સામાજીક અને વાણીજય એમ તમામ પ્રકારે યોગદાન આપનાર અનોખી સુઝબુઝ અને કોઠાસુઝવાળા આગેવાન શ્રી પ્રદિપભાઇ સોજીત્રા કે જેને લોકો લાડથી અને આદરથી પીપી સાહેબના નામે બોલાવે છે અને ભારતના વડાપ્રઘાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પણ જેમની કાર્યશૈલીથી પ્રભાવિત છે તેવા અમરેલીને અનેક વિકાસ કામો ભેટ દેનારા શ્રી પી.પી.સોજીત્રા આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે.ગણાતા અમરેલીના માર્કેટયાર્ડની કાયાપલટ કરી દેશના અત્‍યાધુનિક માર્કેટયાર્ડની હરોળમાં આવે તેવા ઓનલાઇન વ્‍યાપાર ઘરાવતા માર્કેટયાર્ડનું નિર્માણ કરવા ઉપરાંતના અનેક વિકાસ કામો શ્રી પી .પી. સોજીત્રાએ કર્યા છે તથા તેમણે અમરેલી શહેર માટે અનેક યોજનાઓ બનાવી અમલમાં મુકી છે પરિણામની પરવા કર્યા વગર અસાધારણ સંજાગો સામે લડનારા અને સતત લોકો માટે કાર્યરત એવા શ્રી પી.પી.સોજીત્રાને આજે તેમને દરેક લોકો તેમના મોબાઇલ નં. ૯૪૨૬૪ ૨૨૯૯૯ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:44 pm IST)