Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

ખાંટ રાજપુત જ્ઞાતિના માસિક 'ધર્મવાણી'ના તંત્રી રામજીભાઇ મોરબીયાનો જન્મદિવસ : ૭ર પુરા

રાજકોટ તા. ૮: નાની વયે અખબારી જગતમાં પ્રવેશ કરનાર રામજીભાઇ સવજીભાઇ મોરબીયાનો આજે જન્મ દિવસ છે   રામજીભાઇનો   જન્મ તા. ૮-૧-૧૯૪૬ના રોજ થયેલ હતો. તેઓએ ૧૯પ૮ માં ૧ર વર્ષની ઉંમરે રાજકોટના ''જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ'' માં સ્વ. બાબુભાઇ ગણાત્રાની દેખરેખ નીચે પ્રેસ લાઇનની શરૂઆત કરી ઘણા વર્ષો સુધી કામ કર્યું. ત્યારબાદ રાજકોટમાં ''મોરબીયા પ્રિન્ટર્સ'' નામથી પ્રેસની શરૂઆત કરી હતી. હાલમાં ખાંટ રાજપૂત સમાજનું માસિક મેગેઝીન 'ધર્મવાણી' ચલાવે છે.  તેઓના જન્મદિને વિશાળ મિત્ર વર્તુળ-શુભેચ્છકો તેમનાં (મો. ૯૪ર૬૯ ૬૭૯૬૭) પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:46 am IST)