Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મેંદરડા વતન, રાજકોટમાં જતન

ગતિ સાથે પ્રગતિઃ એડવોકેટ નયન પજવાણીનો જન્મદિન

રાજકોટ :. મૂળ મેંદરડાના વતની અને બે દાયકાથી વધુ સમયથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર રઘુવંશી યુવા એડવોકેટ શ્રી નયન રમણિકભાઈ પજવાણી માટે આજના સૂરજે સ્વર્ણિમ દિવસ ઉગાડયો છે. તા. ૫ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ તેમનો જન્મ થયેલ. આજે ચમકતા દમકતા જીવનના ૪૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

જૂનાગઢના ઉમંગ હોઝીયરીવાળા શ્રી ગિરીશભાઈ રૂપારેલના જમાઈ શ્રી નયન પજવાણીએ રેવન્યુ ક્ષેત્રે એડવોકેટ તરીકે નામના મેળવી છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્કના પેનલ એડવોકેટ છે. માતા-પિતાના આશીર્વાદ અને સ્વયંની સુઝબુઝથી વ્યવસાયિક કારકીર્દિ ઝળહળતી કરી છે. તેમની પ્રગતિમાં જીવનસંગીની શ્રીમતી જીજ્ઞાબેન પ્રેરક બળ બની રહ્યા છે. આજે જન્મદિન નિમિતે શુભેચ્છા તેમના પર અનરાધાર વરસી રહી છે.

ફોન નં. ૦૨૮૧-૨૪૬૪૧૫૧, મો. ૯૮૨૪૫ ૯૫૦૧૧ - રાજકોટ

(11:21 am IST)