Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગુજરાત મહેસુલ પંચના સભ્ય જે.કે.આસ્તિકનો જન્મદિન

રાજકોટ, તા., ૧પઃ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં સભ્ય તરીકે કાર્યરત જે.કે.આસ્તિકનો જન્મ ૧૯પ૬ના વર્ષની તા.૧પ સપ્ટેમ્બરે થયેલ. આજે સિધ્ધાંતવાદી યશસ્વી જીવનના ૬પમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

જે.કે.આસ્તિક અગાઉ રાજકોટમાં અધિક કલેકટર સંકલન, સૌરાષ્ટ્ર વિભાગીય નગર પાલીકા નિયામક, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ કમિશ્રર વગેરે પદ પર પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે. તેઓ મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની છે. આઇ.એ.એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ સરકારે તેમની ઉતમ કામગીરીની કદરરૂપે મહેસુલ પંચમાં નિમણુંક આપી છે. શુભત્વથી શોભતી તેમની કારકીર્દી વહીવટી ક્ષેત્રે પ્રેરણારૂપ ગણાય છે. (ફોન નં. ૦૭૯-૨૫૫૦૬પ૯૧ મો. ૯૮રપ૪૪૬૧રર અમદાવાદ)

(11:35 am IST)