Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પારદર્શક કારોબારીના પ્રણેતા નાગદાનભાઈનો વન પ્રવેશ

રાજકોટ :. ભૂતકાળમાં ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ જિલ્લા પંચાયતમાં બિનખેતીના અરજદારોની હાજરીમાં ઓપન કારોબારી યોજવાની શરૂઆત કરનારા તત્‍કાલીન કારોબારી ચેરમેન શ્રી નાગદાનભાઈ ચાવડાનો જન્‍મ તા. ૧૫ ડીસેમ્‍બર ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના એકાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

નાગદાનભાઈ ચાવડા જિલ્લા ભાજપના મહામંત્રી અને પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. આહીર સમાજની વિવિધ સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન રહ્યુ છે. સમાજના તમામ વર્ગમાં તેમનો બહોળો શુભેચ્‍છક વર્ગ છે. સબ કા સાથ, સબ કા વિકાસ... આજે જન્‍મદિન નિમિતે તેમના પર શુભેચ્‍છાના બારેમેઘ ખાંગા થયા છે.

મો. ૯૮૨૫૨ ૯૩૨૫૮ - રાજકોટ

(10:16 am IST)