Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સારે શહરમેં આપસા કોઈ નહિ, કોઈ નહિં...

ઘડીયાલ વિના પણ ‘સમય' પારખી શકતા લાલજીભાઈનો જન્‍મદિન

રાજકોટ :. ઘડીયાલ તો બધા પહેરી જાણે છે પણ જે સમયની સાથે ચાલી શકે છે તે જ સફળતા મેળવે છે. ઘડીયાલ વગર પણ સમયને પારખી શકનારા લક્ષ્ય સિદ્ધિ સુધી પહોંચે છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ સાવલિયા આવા સમયના પારખુ છે. સમયને પારખતા-પારખતા આજે સમયબદ્ધ જીવનના ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

૧૫ ડીસેમ્‍બર ૧૯૫૬ના રોજ જન્‍મેલા એડવોકેટ શ્રી લાલજીભાઈ સાવલિયા બે વખત જિલ્લા ભાજપના પ્રમુખ, એક વખત પ્રદેશ મંત્રી તરીકે ચૂકયા છે. સંઘના તૃતીય વર્ષ શિક્ષિત સ્‍વયંસેવક છે. તેઓ અત્‍યારે સક્રીય રાજકારણથી અલિપ્‍ત પણ પ્રવાહોથી પરિચિત છે. રાજકીય ‘ચોકઠા' ગોઠવવામાં નિષ્‍ણાંત ગણાય છે. આધુનિક પદ્ધતિથી ખેતીમાં રસ ધરાવતા ખેડૂત પુત્ર છે. તેમની જીભે મીઠાસનો ૧૬ આની પાક બારેય મહિના લહેરાતો હોય છે. લે ભાઈ...જાણો તો માણો... તેઓ દિલથી કામ કરવા માટે અને દિમાગથી કામ લેવા માટે જાણીતા છે. લાલજીભાઈ હૈ મમતા કી મૂરત, ઈસ ભીડ ભરી દુનિયામેં ‘અલગ' સી સુરત...

મો. ૯૪૨૮૨ ૦૧૨૦૦ - રાજકોટ

(10:41 am IST)