Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જુનાગઢના સેવા ભાવી અગ્રણી મનસુખભાઇનો જન્મદિવસ

જુનાગઢ, તા. ર૦ :  સેવાકીય પ્રવૃત્તિ કરતી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ એમ. વાજાનો આજે જન્મ દિવસ છે.

છેલ્લા ૩૩ વર્ષથી સર્વજ્ઞાતીય સમુહમાં ૧૮૦૦ થી વધુ દિકરીઓને કરીયાવર સાથે લગ્ન કરાવી આપેલ તેમજ વિદ્યાર્થીઓનો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ, હોસ્પીટલમાં દર્દીઓને કાયમી ભોજન આપતી આ સત્યમ સેવા યુવક મંડળની ટીમના પ્રમુખ મનસુખભાઇ વૃધ્ધાશ્રમ, અંધ કન્યા છાત્રાલય, વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ, મયારામ આશ્રમ વિગેરે સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે અને પ૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો. ૯૯રપ૧ ૪ર૦૮૮ ઉપર જન્મદિનની શુભેચ્છા રહી છે.

(12:48 pm IST)