Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ક્રિમીનલ બાર એસો.ના કન્વીનર એન.ડી. ચાવડાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૧૭ : આજરોજ ૧૭/ર ના રોજ રાજકોટના જાણીતા યુવા એડવોકેટ નરેન્દ્રસિંહ ચાવડાનો જન્મ દિવસ છે. તેઓ ફોજદારી તથા સિવિલ સાઇડમાં છેલ્લા આશરે ૧૯ વર્ષથી વકીલાત કરી રહ્યા છે.  તેઓ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રની તમામ કોર્ટોમાં વકીલાત કરે છે. તેઓ ભુતકાળમાં ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ, ભાજપ લીગલ સેલના સહ-ઇન્ચાર્જ, ભાજપ માનવ અધિકારી સેલના સૌરાષ્ટ્ર-કચ્છના ઇન્ચાર્જ તરીકે તેમજ સામાજીક સંસ્થાઓ ઉપરાંત શ્રી કારડીયા રાજપૂત કર્મચારી મંડળ રાજકોટ જીલ્લાના સેક્રેટરી તરીકે ભૂતકાળમાં સેવાઓ આપેલ છે. તેમજ શ્રી બેડીપરા રાજપૂત મંડળના મંત્રી તરીકે કાર્યરત છે. આજરોજ તેઓના ૪૪મા જન્મદિવસે મિત્રો તથા સ્નેહીજનો વતી તેમને મો.નં. ૯૮૯૮ર ૪ર૩૯ર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(3:39 pm IST)