Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પંચાસરના પર્યાવરણ પ્રેમી નાથુકાકાનો આજે જન્મદિન

મોરબી : પંચાસરના અગ્રણી અને નાથુકાકાના નામથી જાણીતા નાથુભા ઝાલાનો આજે જન્મદિવસ છે. નાથુભા ઝાલાએ આજે જીવનના ૭૦ મુ વર્ષ પૂર્ણ કરીને ૭૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તાલુકા પંચાયતમાં બે વખત સદસ્ય રહીને પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા તેમજ ગામના વિકાસ માટે તેઓ હમેશા કાર્યરત રહ્યા છે. ઉપરાંત નાથુભા ઝાલાએ પોતાના ગામ પંચાસરમાં એકલા હાથે પંદર હજાર વૃક્ષોના વાવેતર કરીને તેની સારસંભાળ કરી રહ્યા છે. પર્યાવરણપ્રેમી નાથુકાકા સામાજિક જવાબદારીઓ નિભાવવામાં સદાય અગ્રેસર રહ્યા છે. સેવાકીય પ્રવૃતિઓ માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે તો જયેષ્ઠ ઉમરે પણ તેઓ સતત પ્રવૃતિશીલ અને કાર્યરત બનીને લોકઉપયોગી કાર્યો કરી રહ્યા છે પુત્ર વિક્રમસિંહ અને નરેન્દ્રસિંહ તેમજ ગ્રામજનો અને સગાસ્નેહીઓ તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(12:30 pm IST)