Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

રાજકોટના પૂર્વ મ્યુ. કમિશ્નર દિનેશ બ્રહ્મભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના સહકાર વિભાગના સચિવ પદેથી ર૦૧૪માં નિવૃત થયેલા આઇ.એ.એસ. કેડરના તત્કાલીન અધિકારી શ્રી દિનેશ બ્રહ્મભટ્ટ આજે ગૌરવવંતા જીવનના ૬પમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મ તા. ૮ માર્ચ ૧૯પ૪) તેઓ અગાઉ પંચમહાલ અને વલસાડમાં જિલ્લા કલેકટર, અમદાવાદમાં ડે. મ્યુનિસિપલ કમિશનર, રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. વાંચન અને લેખનના શોખીન છે. તેઓ હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૦૪૯ ગાંધીનગર

(11:45 am IST)