Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રસીકભાઈ વોરાનો આજે જન્મદિવસ : ૯૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શ્રી રસીકભાઈ જમનાદાસ વોરા જન્મ તા.૩૦-૧૨-૧૯૨૪નો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૯૩ વર્ષ પૂર્ણ કરી ૯૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ માહિતી ખાતામાંથી શરૂઆત કરેલ. વોટસન મ્યુઝીયમ તથા છેલ્લે પુરાતત્વ ખાતામાં ૩૪ વર્ષ નિષ્ઠાપૂર્ણ નોકરી કરી હતી. તેમના પરિવારમાં ૧ પુત્રી અને ૪ પુત્રો છે. પુત્ર પિયુષ આર. વોરા જે સીટીઝન બેંકમાં સર્વિસ કરે છે. બીજા ત્રણ પુત્રો બેંક તથા રીટાયર્ડ થયેલ છે. તેઓ કાઠીયાવાડ બાલાશ્રમ તથા મોઢ વણીક સંસ્થામાં સેવા આપેલ હતી. તેઓ કોંગ્રેસમાં ખૂબ સેવા કરેલ. રસીકભાઈને જન્મદિને તેઓના ભાઈ વસંતભાઈ વોરા તથા પરીવારજનો તેમજ મિત્ર વર્તુળ તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. ફોન - ૦૨૮૧ - ૨૪૭૮૬૬૬ મો. ૯૭૨૩૧ ૩૦૯૧૪.

(11:24 am IST)