Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જામનગરના સમાવરા પિરામિડ સાપ્તાહિકના તંત્રી રમેશભાઇ કનખરાનો જન્મદિન

જામનગર તા. ર૯ : જામનગરથી દર ગુરૂવારે પ્રસિધ્ધ થતુ સમાવરા પિરામિડ સાપ્તાહિકના તંત્રી અને રાજકોટથી પ્રસિધ્ધ થતું સુપ્રસિધ્ધ આઝાદ સંદેશ દૈનિકના જામનગરના પ્રતિનિધિ રમેશભાઇ નરોતમભાઇ કનખરાનો જન્મ તા. ર૯/૧ર/૧૯પ૩ના રોજ જામનગર મુકામે થયેલ તેઓને આજે ૬પ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ ૧૯૯૦ થી સર્વધર્મ સોશ્યલ ગ્રુપનું પ્રમુખપદે રહી સામાજીક સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે હાલારી ભાનુશાળી જ્ઞાતિમાં તેઓ આગવું સ્થાન ધરાવે છ.ે તેઓ અનેક નામી અનામી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય તેનું જીવન સેવાકાર્યો કાજે અર્પણ કરેલ છે જે આજે તેમના જન્મદિનને અનુલક્ષીને તેઓના મો.૯૪૦૮પ  ૮૪૯૮૯ ઉપર શુભેચ્છાઓ વર્ષા રહી છે.

(3:28 pm IST)