Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આવતીકાલે રાજકોટ બાર એસો.ના પુર્વ સેક્રેટરી એડવોકેટ મનીષ ખખ્ખરનો જન્મદિવસ

રાજકોટ, તા.૨૬: રાજકોટના અગ્રણી એડવોકેટ તથા રાજકોટ બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરી મનિષભાઇ હર્ષદભાઇ ખખ્ખરનો આવતીકાલે તા.૨૭/૯/૨૦૨૦ રવિવારના રોજ જન્મદિવસ છે. તેઓએ સાયન્સ ફેકલ્ટીમાંથી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ પૂર્ણ કરી વકીલાતનો અભ્યાસ કરેલ અને તેઓએ વકીલાતની શરૂઆત રાજકોટમાં ૧૯૯૫ની સાલથી કરેલ તેઓ રાજકોટ બાર.એસો.માં વિવિધ હોદાઓ ઉપર ઘણી વખત ચુંટાય આવેલ છે અને વકીલ આલમમાં તેઓની ખુબ જ લોકચાહના અને નામના મેળવેલ છે તેમજ તેઓ અલગ અલગ બાર એસો.માં પણ હોદેદાર તરીકે રહીને વકીલો માટે પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેઓએ ૨૦૦૪ની સાલમાં નેશનલ લો કોન્ફરન્સ તેમજ ૨૦૧૬ની સાલમાં લીગલ સેમીનાર તથા વકીલો માટે નિઃશુલ્ક ડીરેકટરીના કાર્યક્રમોમાં ખુબજ પ્રશંસનીય કામગીરી કરેલ છે તેઓ લોહાણા સમાજમાં પણ પ્રતિષ્ઠીત હોદા ઉપર રહી ચુકેલ છે તેમજ તેઓ રાજકોટની સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમજ મોટર એકસીડન્ટ કલેઇમ કેસોમાં પણ પ્રંશસનીય કામગીરી કરેલ છે.

તાજેતરમાં જ તેઓની સરકાર દ્વારા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર (સ્પે.પી.પી.) તરીકે એ.સી.બી.લાંચ રૂશ્વત) ધારાના કેસમાં નિમણુંક થયેલ હોય તેમજ રાજકોટ બાર એસો. સીનીયર જુનીયર વકીલ મીત્રોમાં તેઓ ખુબ જ લોકચાહના ધરાવે છે. તેઓ રાજકોટ બાર એસો. તરફથી ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે અને તેમને હુલામણા નામ બુન, કાકા, માસાના નામથી પણ ઓળખાય છે. અને તેઓ બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવે છે. ધારાશાસ્ત્રી મનીષ એચ.ખખ્ખરનો મો.૯૪૨૭૨ ૨૨૨૦૪ ઉપર તેઓને વકીલો મિત્રો, સગા સ્નેહીઓ દ્વારા આવતીકાલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવેલ છે.

(12:58 pm IST)